લસણ અને ડુંગળીમાં કયારે અને કેટલાં પિયત આપવા જોઈએ ?

દક્ષિણ સેોરાષ્ટ્ર વિસ્તારમાં પાકને પ૦ મિ.મી. ઉંડાઈના કુલ ૧૪ પિયતની જરૂર પડે છે. જેમાં પ્રથમ પિયત વાવેતર બાદ તુરતજ, બીજું અને ત્રીજું પિયત પ દિવસના ગાળે, ૪ થી ૧૧ સુધીના દરેક પિયત ૧૦ થી ૧ર દિવસના ગાળે અને બાકીના ૩ પિયત ૭ થી ૮ દિવસના ગાળે આપવાં.
લઘુ ફુવારા પધ્ધતિ દ્વારા પિયત આપવાથી પાણીની બચતની સાથોસાથ ઉત્પાદન અને ગુણવતામાં વધારો કરી શકાય. આ પધ્ધતિમાં દર કલાકે ૩પ લિટર પાણી ઉડાડતા લઘુ ફુવારા ર.પ મીટર × ર.પ મીટરના અંતરે ગોઠવી ૧.ર કિલોગ્રામ/ચોરસ સે.મી. દબાણે એકાંતરે દિવસે ર કલાક અને ૪૩ મિનિટ સુધી પાણી આપવું.

પિયત પાણીનું વ્યવસ્થાપન