જીરૂંમાં કયારે પિયત આપવા જોઈએ ?

આપણે સેો જાણીએ છીએ કે જીરૂંનો પાક વાતાવરણના ભેજ સામે ખુબજ સંવેદનશીલ છે. પિયતમાં કાળજી ન રાખવામાં આવે તો સુકારો, ચરમી અને ભુકી છારા જેવા રોગ આવે અને પાક નિષ્ફળ જાય. જેથી જીરૂંનુ વાવેતર છાંટીને કે પુંખીને ન કરતાં બે હાર વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી અને જીરૂંને વાવણી સમયે, વાવેતર બાદ ૮-૧૦, ૩૦, ૪પ-પ૦ અને ૬૦ દિવસે એમ કુલ પ પિયત આપવા. કયારામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. વાદળછાંયુ અને ભેજવાળુ વાતાવરણ હોય તો પિયત આપવુ નહીં.

પિયત પાણીનું વ્યવસ્થાપન