પિયત માટે કટોકટીની અવસ્થાઓ એટલે શું ?

દરેક પાકમાં વૃદ્ધિ અને વિકાસકાળ દરમ્યાન વિવિધ અવસ્થાએ પાણીની જરૂરીયાત અલગ અલગ હોય છે. અમુક અવસ્થાએ પિયત આપવામાં ન આવે તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય છે. આવી અવસ્થાઓને પિયત માટેની કટોકટીની અવસ્થાઓ કહેવાય. દા.ત. ઘઉંના પાકમાં શિષ્ન મૂળ અવસ્થા, ફુટ અવસ્થા, ગાભે પોટેની અવસ્થા, ફૂલ અવસ્થા, દૂધીયા દાણાની અવસ્થા અને પોંક અવસ્થા કટોકટીની અવસ્થાઓ ગણાય છે. આ સમયે અવશ્ય પાણી આપવું જોઈએ. પિયત પાણીની અછત હોય ત્યારે આવી કટોકટીની અવસ્થાઓએ પિયત આપવાથી ઉત્પાદન મેળવી શકાય.

પિયત પાણીનું વ્યવસ્થાપન