પિયત પાણીનો કાર્યક્ષામ ઉપયોગ કરવા માટે કઈ પિયત પધ્ધતિ અપનાવવી જોઈએ ?

ચીલાચાલુ રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં પાણીનો વ્યય વધારે થાય છે અને ફકત ૪૦ થી પ૦ % જ કાર્યક્ષમ ઉપયોગ થાય છે. જયારે ટપક પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો ૯પ % સુધી કાર્યક્ષામતા વધારી શકાય છે. ફુવારા, લઘુ ફુવારા તથા છીદ્રાળું પાઈપ પધ્ધતિથી રપ થી ૩૦ % પાણીનો બચાવ થાય છે અને પિયત પાણીની કાર્યક્ષમતા વધે છે. બાગાયતી તેમજ પહોળા અંતરે વવાતા ખેતી પાકો તથા શાકભાજીના પાકોમાં ટપક પધ્ધતિ વધુ અનુકૂળ છે. આમ યોગ્ય પિયત પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. માર્યાદિત પિયતની પરિસ્થિતિમાં શેરડી, કપાસ, દિવેલાં, તુવેર, રીગણ, ટમેટી, બટાટા જેવા પાકોનું નીક પાળા અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પાક લઈ શકાય છે તેમજ એકાંતરા ચાસે પિયત આપવાથી પણ પિયત પાણીનો બચાવ થઈ શકે.

પિયત પાણીનું વ્યવસ્થાપન