પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ શા માટે કરવો જોઈએ ?

વધુ પડતાં ભૂગર્ભ જળના સિંચનને કારણે પાણીના તળ ખૂબજ ઉંડે ગયા છે. જેને લીધે પાણીની તંગીની સાથોસાથ દરિયાકાંઠા નજીકની જમીનો ક્ષાારીય બનતી જાય છે. સેોરાષ્ટ્ર વિસ્તારના કેટલાંય તાલુકાઓનો સમાવેશ રેડ ઝોનમાં કરવામાં આવેલ છે. એક અહેવાલ અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પાણીનો જે જથ્થો ઉપલબ્ધ છે તેનો અત્યારે જે રીતે આડેધડ ઉપયોગ થાય છે તે પ્રમાણે ચાલુ રહે તો અનુક્રમે ૧૦ અને ર૦ વર્ષ સુધી જ ચાલી શકે તેમ છે. કુલ ઉપલબ્ધ પાણી પૈકી ૭૩ ટકા પાણીનો વપરાશ કૃષિ ક્ષેત્રમાં થાય છે. પાણી એ કુદરતી સીમિત સંસાધન હોવાથી અમૂલ્ય છે. વળી સેોરાષ્ટ્ર વિસ્તારમાં નહેરની સગવડતા ન હોઈ, કૂવા અને બોર દ્વારા મેળવવામાં આવતું પાણી ખૂબજ મોંઘુ પણ છે. આવા માર્યાદિત પાણીનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જ રહયો.

પિયત પાણીનું વ્યવસ્થાપન