પાક ઉત્પાદનમાં પિયતનું શું મહત્વ છે ?

પાક ઉત્પાદન માટે પાણી એ અગત્યનું પરિબળ છે. પાક ઉત્પાદનમાં પિયતનો ર૭ ટકા જેટલો ફાળો છે. શિયાળુ ઋતુમાં મોટાભાગના પાકો પિયત આપી લેવામાં આવે છે. ગુજરાત રાજયમાં કુલ ખેડાણ વિસ્તારનો અંદાજિત ૩૦ ટકા અને સેોરાષ્ટ્રનો ર૦ ટકા વિસ્તાર જ પિયત હેઠળ આવેલ છે. પિયત ખેતીના ૭૦ થી ૭પ ટકા વિસ્તારમાં કૂવાઓ અને પાતાળ કૂવાઓ દ્વારા પિયત થાય છે. અપૂરતો જળ સંચય, ભૂગર્ભ જળનું સ્તર ઉંડા જવા, ઘનિષ્ઠ ખેતી પધ્ધતિઓ, પાણીનો ખેતી સિવાય અન્ય હેતુઓ માટે વધતો જતો વપરાશ તેમજ ખેતીમાં પાણીના બિનકાર્યક્ષમ ઉપયોગને કારણે પિયત પાણીની ખેંચ દિન પ્રતિ દિન તીવ્ર બનતી જાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન