ટપક સિંચાઈ પધ્ધતિની ઉપયોગીતા શું છે.

ટપક સિંચાઈ પધ્ધતિના અનેક લાભો છે.
1, તેના ઉપયોગથી પાક, જમીન અને વાતાવરણ પ્રમાણે ૪૦ થી ૭૦ ટકા પાણીની બચત થાય છે.
2, છોડનો વધુ ઝડપથી વિકાસ થાય છે અને પાક મુજબ વધુ ઉત્પાદન મળે છે.
3, મજૂરી/ખર્ચ અને શક્તિનો બચાવ થાય છે.
4, નીંદામણ ખર્ચ ઘટે છે.
5, ખાતરોનો અસરકારક ઉપયોગ થાય છે.
6, અનેક પાકમાં તેનો ઉપયોગ થઈ શકે છે
7, જમીનનું ધોવાણ થતું અટકે છે.
8, ટપક પદ્ધતિમાં પિયત માટે જમીનને સમતળ કરવી જરૂરી નથી. પરંપરાગત પિયત પદ્ધતિમાં નીક તથા પાળાઓ બનાવવામાં ૮થી ૧૦ ટકા જમીનનો વ્યય થાય છે. જયારે ટપક પદ્ધતિમાં નીક/પાળા બનાવવા જરૂર ન હોય તેટલી જમીન પાક હેઠળ વધુ મળે છે.
9, રોગ જીવાતનું પ્રમાણ ધટે છે તેને કારણે ગુણવતાવાળું ઉત્પાદન મળે છે.
10, પાક વહેલો થાય છે. તેથી બીજો પાક લેવા સમયસર વાવણી થઈ શકે છે.
11, જમીન નું બંધારણ અને ફળદ્રુપતા ટકી રહે છે.
12, પિયત પાણીના અસરગ્રસ્ત વિસ્તારમાં જમીનમાં ઊડે ઉતરી જતા ભૂગર્ભ જળ તેમજ વધુ પિયતના પાણીથી છીછરા થતા જતા ભૂગર્ભ જળ નિયંત્રણ કરી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન