ખેતરનું પાણી ખેતરમાં જ કેવી રીતે રોકી શકાય?

જે માટે ખેડૂતોએ

ઉનાળામાં ચોમાસા પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ.

ચાસ ખુલા રાખવા જોઈએ.

ખેતરમાં જરૂરી કોહવાયેલ સેન્દ્રીય ખાતર, મોરમ, રેતી નાખવું જોઈએ.

ખેતર સમતલ બનાવવું.

ખેતરના ઢાળની આડી દિશામાં ચાસ બનાવી વાવેતરથી લઈને તમામ ખેડકાર્યો ઢાળની આડી દિશામાં જ કરવા જોઈએ.

ઢાળની આડી દિશામાં ઢાળ પ્રમાણે સો-દોઢસો મીટરના અંતરે માટી/મોરમ/ પત્થરના પાળા કરવા જોઈએ.

પાળા પર માટીના કણને પકડી રાખે તેવા મૂળ વાળા ઘાંસ વાવવું જોઈએ.

ખેતર ફરતે પાળા બનાવીને ખેતરનો કાઢિયો પાકો અથવા પત્થરનો બનાવી જમીનથી ઉંચો રહે તે રીતે કાઢિયો બનાવવા જોઈએ.

ઢાળની આડી દિશામાં વાવેલ પાકો જેવાકે કપાસ, એરંડા, ઉભળી મગફળી, મકાઈ, બાજરો, જુવાર જેવાની હારમાં પાળા ચડાવવા જોઈએ.

પિયત પાણીનું વ્યવસ્થાપન