ગ્રામ્ય સ્તરે જળ સંચય કેવી રીતે કરવું જોઈએ?

ગ્રામ્ય સ્તરે ખેતીમાં સિંચાઈ માટે પાણીની ખુબજ જરૂરિયાત રહે છે. મારા અંદાજ મુજબ કુલ પાણી વપરાશના ૮૦% કરતા પણ વધુ પાણી પિયતમાં વપરાઈ જાય છે.

આથી ખેતીને ટકાવવા માટે જળ સંચય ખુબજ જરૂરી છે. આપણા વિસ્તારમાં વરસના ખુબજ થોડા દિવસોમાં વરસાદ પડે છે. આથી વરસાદ નદી-નાળા દ્વારા દરિયામાં વહી જાય છે. આ માટે “ખેતરનું પાણી ખેતરમાં” સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં જ રોકીને જળ સંચય કરવું જોઈએ.
જે માટે જળ સંચય ત્રણ રીતે કરી શકાય છે.
૧) ખેતરનું પાણી ખેતરમાં જ રોકી દેવું
૨) ખેતર માંથી બહાર વહી જતું પાણી નદી-નાળામાં નાના મોટા પત્થરના આડ-બંધ, ચેકડેમ કે માટીના આડબંધ દ્વારા રોકીને જળ સંચય કરવું જોઈએ.
૩)ખેતરમાંથી વહી જતા કે નદી નાળાના પાણીને વૈજ્ઞાનિક અભિગમથી બનાવેલ ફિલ્ટર દ્વારા ગાળણ કરીને કુવા કે બોરમાં ઉતારીને ભૂગર્ભજળ રીચાર્જ કરવું જોઈએ.

પિયત પાણીનું વ્યવસ્થાપન