શહેરી વિસ્તારના લોકોને પંચાયત કે પાલિકા દ્વારા થતા પાણી વિતરણના આધાર કેવી રીતે ઘટાડવો જોઈએ?

શહેરી વિસ્તારના લોકો માટે પાણીની અછત નિવારવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ જેમ કે

૧)ઘરમાં/ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને તેમાં છત પરથી આવતું પાણીનો સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને આખા વર્ષ દરમ્યાન પીવા માટે/ઘર વપરાશ માટે એકદમ શુદ્ધ પાણી મળી રહે. ભૂગર્ભ ટાંકો સામાન્ય રીતે પહેલા વરસાદ બાદ અગાશી સાફસુફ કરીને બાદ જ બીની વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ભૂગર્ભ ટાંકો ભરાય જાય પછી વરસાદનું પાણી ટ્યુબવેલ/ બોરવેલમાં ઉતારીને રીચાર્જ કરવું જોઈએ.

૨) રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારના રોડની બને સાઈડ સિમેન્ટ ક્રોંકીટ કે પેવર બ્લોક પાથરીને જે પાકા બનાવવામાં આવે છે તેની જગ્યાએ ઉપરની ફૂટ/અર્ધો ફૂટ માટી કાઢીને તેમાં જાડી રેતી /કાંકરા ભરીને રોડ પરથી વહી જતા પાણીને જમીનમાં ઉતારવું જોઈએ.

૩) સોસાયટીના કોમન પ્લોટમાં પણ આવી રીતે વરસાદના પાણીને જમીનમાં ઉતારવું જોઈએ.

૪) ઘર વપરાશનું વપરાયેલું પાણીને સીધું ગટરમાં વહાવી દેવાને બદલે શોષ ખાડામાં નાખવાથી ભૂગર્ભ જળ રિચાર્જમાં ઉમેરો થાય છે. ભૂગર્ભ ગટરનું તળિયું ખાસ કરીને મેન હોલની જે કુંડી હોય તેનું તળિયું પાકું ન કરતા તેનાથી ગટરનું અમુક પાણી જમીનમાં ઉતારી શકાય છે.

૫) આજકાલ પાણીની ખુબજ અછત હોય તેનો બિન જરૂરી ઉપયોગ ન કરતા કરકસર પૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ.

પિયત પાણીનું વ્યવસ્થાપન