માનવ દ્વારા જળ સંચય કેવી રીતે થાય?

જળ સંચય માટે ઘણી તકનીકો છે. જેમાં

૧) ગ્રામ્ય સ્તરે ખેતી માટે

૨) શહેરી વિસ્તાર માટે – ઘર વપરાશ/ઉદ્યોગો.

આજકાલ શહેરીકરણ વધતા પાણીની ખુબજ અછત ઉભી થયેલ છે. એટલે સૌ પહેલા શહેરી વિસ્તારોની વાત કરીએ. શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ સામાન્ય રીતે ડેમના જળ સંગ્રહમાંથી થાય છે. એટલે આવા જળસ્ત્રોતો તો સરકાર દ્વારા બાંધવામાં આવતા હોય છે. પણ લોકો દ્વારા પણ જળ સંચય કરીને પાણી વિતરણ પરનો આધાર ઘટાડી શકાય છે. આવા સપાટી પરના જળ સ્ત્રોતોના પાણીની સપાટી પર સીટાઈલ આલ્કોહોલ જેવા પેટ્રોલીયમ કુળનું પદાર્થનું એક પાતળું સ્તર કરવાથી પણ બાષ્પીભવન દ્વારા થતો વ્યય અટકાવવો જોઈએ.

પિયત પાણીનું વ્યવસ્થાપન