જળ સંચય એટલે શું? અને કેવી રીતે થાય?

જળ સંચય એટલે પાણીનો સંગ્રહ માત્ર આપણો દેશ જ નહી, પણ વિશ્વના બધા દેશોમાં માનવની જરૂરીયાત મુજબ વરસાદ પડતો નથી. આથી કુદરતે આપેલ વરસાદના પાણીનો આખા વર્ષ દરમ્યાન તમામ ક્ષેત્રોમાં જેમ કે ઘર વપરાશ, ઉદ્યોગો અને ખેતી માટે ઉપલબ્ધ કરવા માટે જળ સંચય જરૂરી છે.

૧) કુદરતી
૨) માનવ દ્વારા
જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી જમીનની સપાટી પર પડે છે. જે જમીનમાં સંગ્રહ થતા થતા વધારાનું પાણી ભૂગર્ભજળ સુધી પહોંચે છે. અને જમીનની સપાટી પર વહીને જતું પાણી નદી નાળામાં વહીને જમીનમાં ઉતરે છે. ઉપ્રનત કુદરતી ખાડામાં પાણી ભરાઈને પણ જમીનમાં ઉતરે છે. કુદરતી સરોવરમાં પણ વરસાદના પાણીનો સંગ્રહ થાય છે. જેમાંથી અમુક ભાગ ભૂગર્ભ માધ્યમાં પણ ઉતરીને સંગ્રહ થાય છે.

કુદરતી રીતે જળસંચયમાં માનવ દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વધારો કરી શકાય છે. જેમ કે વહેતા પાણી આડે બંધ પાળા, કુવામાં ઉતારીને રીચાર્જ દ્વારા વગેરે.

પિયત પાણીનું વ્યવસ્થાપન