ઉપલા ભૂગર્ભજળ સંચય પદ્ધતિઓ કઈ કઈ છે?

ઉપલા ભૂગર્ભજળસંચય પદ્ધતિઓ આ પ્રમાણે છે.

રીચાર્જ બેઝિન : નીચાણ વાળા ખરાબાની જમીનની બાજુઓને માટીનો પાળાથી બાંધી અને વધારાના પાણી નિકાલનો પાકો કાઢિયો મુકી બનાવવામા આવે છે.

ચેક ડેમ: નદી, નાળાના સાકળા ગાળાની આડે પાકો બંધ બાન્ધી બનાવવામા આવે છે

ખેત તલાવડી : ખેતરમા ખોદકામ કરી નીચાણવાળા વિસ્તારમા બનાવવમાં આવે છે.

શાફ્ટ હોય તો જે રીચાર્જ (કલે) પાણીના સંગ્રહ સ્થાનના તળિયે મોટા વ્યાસનો બોર કરી ફરી પથ્થરથી ભરવાથી પાણી ખુબ મોટા પ્રમાણમાં રીચાર્જ થાય છે. જેને શાફ્ટ કહેવાય છે.

છાપરાના પાણીથી ભૂગર્ભજળ સંચય પધ્ધતિમાં છાપરાનું પાણી પાઈપથી કલેક્ટ કરી બોરમાં ઉતારવામાં આવે છે કે ભૂગર્ભ ટાંકામાં સંગ્રહવામાં આવે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન