તળાવના કાંપના ઉપયોગથી શો ફાયદો થાય છે?

સિમાંત અને મોટા ખેડૂતો કે જેમની પાસે પોતાની ટ્રાન્સપોર્ટની સુવિધા હોય તો, હલકી જમીનમાં આ પધ્ધતિનાં ઉપયોગથી પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે.

જયારે તળાવ ખાલી હોય છે અને ટ્રાન્સપોર્ટ અને મજુર સહેલાઈથી મળી રહે ત્યારે કાંપને તળાવમાંથી નીકાળવમાં આવે છે.

પછી ટ્રેકટર-ટ્રોલી અથવા બળદ ગાડાથી ખેતર સુધી લાવવામાં આવે છે.

આ કાંપ ખેતરમાં ર૦-૩૦ ટન પ્રતિ હેકટરના હિસાબે નાખવામાં આવે છે અને ઉપરનો ૩૦ સેમી. માટી સાથે સાંતિથી એકરૂપ કરવામાં આવે છે.

તેના ફાયદામાં માટીનું ધોવાણ થતું અટકાવે છે, માટીમાં પોષક તત્વોના પ્રમાણમાં વધારો કરે છે તથા પાણી સંગ્રહ કરવાની ક્ષામતામાં વધારો કરે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન