નિંદામણો જમીનમાંથી ભેજ, પોષકતત્વો, પ્રકાશ, હવા અને જગ્યા માટે પાકની સામે સતત હરીફાઈ કરતા રહે છે.
વળી મોટાભાગના નિંદામણો એવા છે કે જેનો “ઉત્સવેદન આંક અગત્યના ખેતી પાકોના ઉત્સવેદન આંકની સરખામણીમાં ર થી ૩ ગણો વધારે હોય છે. આમ નિંદામણને પાણીની જરૂરીયાત ખૂબજ રહેતી હોઈ, સમયસર નિંદામણ નિયંત્રણ કરવાથી જમીનમાં વધુ પ્રમાણમાં ભેજ જળવાઈ રહે છે.
સાથે સાથે જરૂરીયાત મુજબ આંતર ખેડ કરવી જોઈએ જેથી ઉભા પાકમાં આંતરખેડ કરવાથી જમીન છુટી પડી ઉપરનું પડ ભરભરું બને છે. કેશાકર્ષિત નળીઓ ધ્વારા બાષ્પીભવનથી ઉડી જતો જમીનનો ભેજ અટકાવી શકાય છે.
કઠણ અને દબાયેલી જમીન ઉપરથી વરસાદ અને પિયતનું પાણી વહી જાય છે. તે અટકાવવા માટે આ રીતે ખેડ થવાથી જમીન પરથી વહી જતુ પાણી જમીનમાં વધુ પચે છે. અને જમીનમાં ભેજ વધુ સંગ્રહ થાય છે.
નિંદામણ નિયંત્રણ સમયસર કરવાથી શો ફાયદો થાય છે?
પિયત પાણીનું વ્યવસ્થાપન