રેતાળ તેમજ કાંપવાળી જમીનમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે?

જમીનની ભેજ ધારણ શકિત વધારવા દરેક પ્રકારની જમીનમાં સેન્દ્રીય ખાતર ઘણું ઉપયોગી બને છે.

આવા ખાતરો જમીનમાં ઉમેરવાથી જમીનનું બંધારણ સુધરે છે. રેતાળ જમીનમાં રજકણોનું માપ મોટુ હોય છે. તેથી દરેક રજકણો વચ્ચેની જગ્યા વધુ હોય છે. તેમાં સેન્દ્રીય ખાતરો ઉમેરવાથી તેના નાના નાના રજકણો રેતાળ જમીનના મોટા રજકણોની વચ્ચે આવી જાય છે.

અને માટીયાળ કાંપાવાળી જમીનના રજકણોનું માપ ખુબજ નાનુ હોય છે. તેમાં સેન્દ્રીય ખાતરના રજકણોનો ઉમેરો થતાં ખુબજ નજીકમાં આવેલા માટીના રજકણો વચ્ચેનું અંતર વધે છે. અને કેશાકર્ષિત નળીઓનો વિસ્તાર વધે છે.

આમ રેતાળ તેમજ માટીયાળ અને કાંપવાળી જમીનની ભેજ સંગ્રહ શકિત વધે છે. અને જમીનમાં પાણી ઉંડે ઉતરી જવાને બદલે છોડના મૂળ વિસ્તારમાં જળવાઈ રહે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન