પટૃી પધ્ધતિનું વાવેતર કઈ જગ્યા એ કરવામાં આવે છે ?

જયાં પ્રમાણમાં વધુ ઢાળવાળી જમીન હોય તેવી જમીનમાં એક પાક ચોકકસ અંતરે એવા પ્રકારનો લેવો જોઈએ કે જે જમીન ઉપર પથરાઈ જઈને આવરણનું કામ કરે.

આ વાવેતર પધ્ધતિમાં ઢાળ પ્રમાણે હારોનું વાવેતર પટ્ટીના રૂપમાં કરવામાં આવે છે.

દા.તા. બાજરીની છ હાર પછી આડી મગફળીની એટલી જ હારોનું વાવેતર કરી પટ્ટીઓ બનાવવામાં આવે છે. આમ વાવેતર કરવાથી આડી મગફળી જમીન ઉપર પથરાઈ જઈને આવરણનું કામ કરે છે. જેથી વરસાદના સમયે માટીનું ધોવાણ ઓછું થાય છે. અને ભેજ વધુ સંગ્રહ થાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન