જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય છે?

બાષ્પીભવનથી જમીન માંથી ઉડી જતો ભેજ અટકાવવા આર્થિક રીતે પોષાય તેવી ખેતીવાડીની આડ પેદાશ જેવી કે બાજરીની કડબ, ડાંગરનું પરાળ, ઘઉંનું કુવર, મગફળીની ફોતરી તેમજ અન્ય કચરાપુંજાનો ઉપયોગ કરવાથી જમીનમાં રહેલો ભેજ સુર્ય તાપની ગરમીથી બાષ્પીભવન ધ્વારા ઉડી જતો હોય છે તે અટકાવી શકાય.

જમીનમાં શોષણ થયેલ કુલ પાણીના ૬પ% પાણી બાષ્પીભવનથી ઉંડી જતુ હોય છે. આ રીતે થતો જમીનના ભેજનો નાશ જમીન ઉપર આવરણનો ઉપયોગ કરવાથી અટકાવી વધુ ભેજ સંગ્રહ કરી શકાય.

બીજુ ખરીફ જુવાર અને બાજરીની કાપણી થયા પછી ખેડૂત ખેતરનું ખેડાણ કરે છે અને પાકનો વધેલ કચરો/ચારો ખેતરમાં જ રહેવા દે તો તેના ફાયદામાં જમીનમાં પાણી ઉતરવાની ગતીમાં વધારો થાય છે. વહી જતા પાણીની ગતીમાં ઘટાડો થાય છે.

વરસાદના છાંટાનો જમીન પર પડતા મારમાં ઘટાડો થાય છે, જેથી માટીના ધોવાણમાં ઘટાડો થાય છે. માટીનુ બંધારણમાં સુધારો થાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન