સમોચ્ચ પાળા કઈ રીતે બનાવવામાં આવે છે ?

સામાન્ય રીતે ૦.પ મીટર ટોચ પહોળાઈ, ર.૦ મીટર પહોળો અને ૦.૮ મીટર ઉંચાઈના આવા પાળા સરખી ઉંચાઈએ ઢાળથી આડી દિશામાં ૧પ થી પ૦ મીટરના અંતરે નજીકમાંથી જમીનમાંથી માટી લઈ બનાવવામાં આવે છે.

બે પાળા વચ્ચેની જગ્યામાં ર૪ કલાક નો વધુમાં વધું વરસાદ સમાય જાય તે રીતે ડીઝાઈન કરવામાં આવે છે. જે ર૪ કલાકમાં જમીનમાં ઉતરી જાય છે.

સમોચ્ચ પાળા સામાન્ય રીતે જો જમીનનો ઢાળ ર થી ૬ ટકા હોય, વાર્ષિક વરસાદ ૬૦ સેમી કરતા ઓછો હોય અને જમીન પુરતી નિતારવાળી શકિત વાળી હોય તો જ અપનાવવામાં યોગ્ય છે.

અતિ ભારે કાળી જમીન કે જેમાં ભેજના વધઘટ સાથે ફુલતી હોય કે સંકોચાતી હોય તેમાં અપનાવવા યોગ્ય નથી. આવી જમીનના પાળામાં સુકાતા ભીરાડો પડે છે જે વરસાદનું પાણી ભરાતા પાળા તુટવા લાગે છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન