ઉંદર થી લેટરલ ને કેવી રીતે બચાવી શકાય?

ઉંદરથી લેટરલને બચાવવા માટે આયોજન આવશ્યક છે. મોસમની શરૂઆત પહેલા, ખેતરમાં ઉંદરોવાળા વિસ્તારોને ઓળખીને તે વિસ્તામાં આયોજન બદ્ધ પગલાં લેવા જોઈએ. શેઢા પાળે રહેલ ખડ, નીંદણ અને કચરાને દૂર કરીને ખેતરની આસપાસ બફર ઝોન બનાવો. ઉંદર નાં દરમાં દવા મૂકી દર પૂરી દેવું જોઈએ. મોસમની શરૂઆતનાં એકઅઠવાડિયા સુધી વિવિધ સંભવિત જગ્યાએ પિંજારા મુકવાથી ફાયદો થઇ શકે. ત્યારબાદ ઉંદર નિયંત્રણ માટે વપરાતા રસાયણો સીસ્ટમ માં ઈન્જેકટ કરી શકાય. મોસમ પૂરી થયા બાદ લેટરલ ખુલ્લામાં રાખી યોગ્ય ઉંદર્નાશક દવાના ઉપયોગથી લેટરલને ઉંદરથી બચાવી શકાય છે.

પિયત પાણીનું વ્યવસ્થાપન