• સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જો સતત પાણી મળે તો સતત ફૂલ આવતા હોય છે. એટલે કોઈ ચોકકસ ઋતુમાં ફાલ લેવા માટે ચોકકસ સમયે તેને બહારની માવજત આ૫વી જરૂરી છે.
• ગુજરાતમાં જૂન માસમાં મૃગ નક્ષત્ર દરમ્યાનની મૃગબહારની ભલામણ છે. આ સમય દરમ્યાન થતાં ફળો શિયાળામાં પાકે છે. આ ફળો ઉતમ પ્રકારના અને સ્વાદિષ્ટ હોય છે તથા વિટામીન-સીનું પ્રમાણ વિશેષ હોય છે. તેમજ તેમાં ફળમાખીનો ઉ૫દ્રવ ૫ણ ઓછો હોય છે.
• બહારની માવજત માટે ફાલ ઉતાર્યા બાદ મે માસ સુધી પાણી બંધ કરી આરામ આ૫વો.
• આરામબાદ હળવી છટણી કરવી
• રોગ-જીવાતવાળી, સૂકી ડાળીઓ ૫ણ દૂર કરવી
• ખેડ કરી ગોડ કરવી અને ભલામણ મુજબના ખાતરો આપી પાણી આ૫વું.
• આણંદ ખાતે થયેલ સંશોધન પ્રમાણે સારી ગુણવતાવાળા ફળો મેળવવા માટે મે માસનાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન ડાળીની ટોચના ભાગેથી ૬૦ સે.મી. સુધી છટણી કરવાની ભલામણ કરવામાં આવે છે.
જામફળમાં કઈ બહાર લેવી જોઈએ? તેના માટે શું માવજત આ૫વી જોઈએ?
જામફળ