આદુ અને હળદરમાં આપણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરી શકાય કે કેમ ?

જૈવિક ખાતરોનો ઉપયોગ આપણે મુખ્‍યત્‍વે દરેક ખેતીપાકોની અંદર કરી શકાય છે. આદુ તથા હળદર કંદમૂળના પાકો હોવાથી જૈવિક ખાતરોમાંના આપણે ઓકટોબરમાં કલ્‍ચરની બીજ માવજત આપી અને વાવેતરમાં ઉપયોગ કરવો અથવા ૧૦૦ ગ્રામ એઝોટોબેકટરનું કલ્‍ચર પાણીમાં ઓગાળીને પાક ઉપર ૩૦ દિવસ બાદ નિતાર કરવો જોઈએ. જયારે વાતાવરણમાં ભેજ હોય તથા જમીનમાં ભેજ હોય અથવા પ થી ૬ કિ.ગ્રા./હેકટર એકઝોબેકટરનું કલ્‍ચર રેતી સાથે ભેળવીને ઉભા પાક ઉપર આ મિશ્રણને છાંટી દેવું જોઈએ તથા ઉપર મુજબની પઘ્‍ધતિથી ફોસ્‍ફેટ સોલ્‍યુબલાઈઝીંગ બેકટેરીયા કે જે ફોસ્‍ફરસ તત્‍વને લભ્‍ય સ્‍વરૂપમાં ફેરવી છોડના ઉપયોગમાં આવે તેનો પણ ઉપયોગ કરી શકાય છે.