મેથીનું આયુર્વેદની દષ્ટિએ શું મહત્વ છે ?
કેડ, ઢીંચણ, પગની એડી, કોણી, ખભા કે માથામાં આમવાતનો દુખાવો અને સોજો આવે તો તેમાં મેથીનું સેવન વધુ માફક આવે છે. મેથી ગરમ અને ભુખ લગાડનારી હોવાથી અરૂચીને દુર કરે છે. ગ્રાહી ગુણ હોવાથી ઝાડાને મટાડે છે. દહીં કે છાશ સાથે શેકેલી મેથી પીવાથી ઝાડા કે મરડો મટે છે. મેથીનો ઉકાળો કફ, વાયુ કે આમજન્ય કોઈપણ રોગના નિવારણ માટે લઈ શકાય.
મેથી