જવાબ: ઘણા બધા ઘટકોનો એક સાથે સમન્વય કરી જો તેનો અસરકારક અમલ કરવામાં આવે તો ચોક્કસ પણે ચેપી રોગો ને આવતા અટકાવી શકાય છે. આપણે તેની ચર્ચા કરીએ તો
- મરઘાં ફાર્મ નું સ્થળ હમેંશા માનવ તથા અન્ય પ્રાણીઓની વસાહતથી દૂર જ હોવું જોઈએ.
- ફાર્મની ડીજાઈન વૈજ્ઞાનિક રીતે કરી તેમાં પૂરતો સૂર્ય પ્રકાશ તથા ચોખ્ખી હવા મળે તે રીતે પૂર્વ- પસ્ચિમ દીશામાં હોવી જોઈએ.
- ફાર્મની અંદર જરૂર વગરના વાહનો, મુલાકાતીઓ, કારીગરો તથા મજૂરોની અવર જવર પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
- એકી સાથે જુદી જુદી ઉમરના પક્ષીઓ રાખવા કરતાં એક જ ઉમરના પક્ષીઓ રાખવા જોઈએ.
- બે પક્ષીઓની બેચ વચ્ચે ઓછામાં ઓછું 20 થી 25 દિવસનો ગાળો રાખવો જોઈએ.
- પક્ષીઓને અપાતો ખોરાક તથા પાણી સ્વચ્છ જંતુ રહિત આપવા જોઈએ.
- પક્ષીઓના મળનો વ્યવસ્થિત રીતે નીકાલ કરવો જોઈએ.
- ફાર્મમાં કામ કરટી દરેક વ્યક્તિ એ પોતાની સ્વચ્છતા જાળવવી જોઈએ.
ફાર્મમાં ઉમેરતા નવા સાધનો, પાણી તથા દાણના સાધનોની સમયાંતરે સાફ સફાઈ થવી જોઈએ
ચેપી રોગોને ફાર્મ ની અંદર પ્રવેશતા અટકાવવા માટે બાયોસીક્યુરીટી રૂપે ક્યાં ક્યાં પગલાં અથવા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે ?
મરઘાં પાલન