પક્ષીઓમાં થતાં ચેપી રોગો એક ફાર્મમાથી બીજા ફાર્મમાં કઈ રીતે ફેલાય છે ?

ચેપી રોગો હમેંશા સૂક્ષ્મજીવાણુઓથી થતાં હોય છે અને તેમનો ફેલાવો નરી આંખે કોઈપણ વ્યક્તી જોઈ શકતી નથી પરતું તે હમેંશા એક યા બીજી રીતે વાહક દ્વારા ફેલાય છે જેવા કે....
- પક્ષીઘરની અંદર નવા રોગીષ્ઠ પક્ષીઓનો ઉમેરો કરવામાં આવે
- દેખીતી રીતે તંદુરસ્ત લાગતાં પરંતુ રોગ અવસ્થામાથી બહાર આવેલા પક્ષીઓ, કે જેના શરીર અંદર હજુ પણ સુક્ષ્મ્જીવો રહેલા હોય, તેવા પક્ષી જો પક્ષી ઘરમાં દાખલ કરવામાં આવે તો ચેપી રોગ ફેલાય છે.
- જુદા જુદા પક્ષી ઘરની મુલાકાત લેતા વ્યક્તિઓના પગરખાં તથા તેમના કપડાં મારફતે પણ ફેલાઈ શકે છે.
- યોગ્ય રીતે નિકાલ ન કરાયેલા મૃત પક્ષીઓ દ્વારા પણ ફેલાઈ શકે છે.
- ગટરનું પાણી જો પીવાના પાણીમાં ભળતું હોય તો તેના દ્વારા પણ ફેલાઈ છે.
- જંગલી પ્રાણીઓ, સરિસૃપ વર્ગના પ્રાણીઓ તથા મુક્ત રીતે ફરતા પક્ષીઓ દ્વારા પણ ફેલાય શકે છે.
- અસ્વચ્છ દાણ અને દાણ ભરલા કોથળા દ્વારા
- અસ્વચ્છ વાહનો જે પક્ષીઓ માટે જુદો જુદો સામાન લઈને આવતા હોય
- ઘણી વખત હવા દ્વારા પણ ચેપી રોગોનો ફેલાવો થતો હોય છે.