જવાબ: જે મુખ્ય ઘટકોની વાત આપણે કરી તે તમામ ઘટકોની સમજણ અને તેની અશરકારક અમલીકરણ ખુબજ જરૂરી છે.
- હવે સૌ પ્રથમ આપણે “ અલગતા” ઉપર વાત કરીયે... મરઘાં પાલન વ્યવસાયમાં મરઘાં પાલક હમેંશા મોટી સંખ્યામાં પક્ષીઓ રાખતા હોય છે અને તો તેમને આ વ્યવસાય આર્થિક રીતે પરવળે. એટલે જ્યારે વધારે પ્રમાણમાં પક્ષીઓ હોય ત્યારે તેને ફાર્મની અંદર વાયર ની જાળી રાખીને તેમની અંદર જ રાખવા જોઈએ, આમ કરવાથી પક્ષીઓ તો અંદર એક સાથે રહે છે પરંતુ આ જાળી બીજા પાલતુ તથા વન્યપ્રાણીઓને પણ અંદર જતાં અટકાવે છે. તેથી તેમનું બીજા પશુઓ દ્વારા ફેલાતા રોગો પર નિયંત્રણ આવે છે. સાથે સાથે આવું કરવાથી જો ફાર્મની અંદર જુદા જુદા ઉમરના પક્ષીઓ હોય, તો તેને પણ અલગ અલગ રાખી શકાય છે જેથી કરીને એક ઉમરના પક્ષીઓનો રોગ બીજા નાની ઉમરના પક્ષીઓમાં ફેલાતો અટકાવી શકાય છે.
- ત્યારબાદ જો આપણે ટ્રાફિક કંટ્રોલ(યાતાયાત નિયંત્રણ) ની વાત કરીએ તો ફાર્મની અંદર તથા ફાર્મની આજુ બાજુ ઉપર નિયંત્રણની વાત છે. ઉદાહરણ તરીકે કોઈપણ ફાર્મને ચલાવવા માટે મનુષ્યની જરૂરિયાત હમેંશા હોય છે એટલે ફાર્મની અંદર કામ કરતાં માણશો ઉપર નિયંત્રણ ખુબજ જરૂરી છે. જો કોઈ વ્યક્તી કોઈ એક ઉમરના પક્ષી સાથે કામ કરતો હોય, તો તેને બીજી ઉમરના પક્ષીઓના ગ્રૂપમાં જતાં પહેલા પોતે જંતુ મુક્ત થવા માટેના પગલાં લઈ, પછી જ જવું જોઈએ. સાથે સાથે આ વ્યવસાય સાથે સંકડાયેલા અન્ય માણશો જેવા કે સેલ્સમેન, વેપારીઓ, વાહન ચાલકો વગેરેની ખુબજ જરુરીયાત હોય તેવા સમયે જ પ્રવેશ થવો જોઈએ અન્યથા આવી અવર જવર ટાળવી જોઈએ.
- જો આપણે સ્વછતાંની વાત કરીએ તો એ જીવાણુનાશક પ્રક્રિયા આધારિત છે અને તેમની અંદર મરઘાં પાલક તેમાં કામ કરતાં તમામ રોજમદારો, વ્યવસાય સાથે સંકળાયેલ અન્ય વ્યક્તીઓ તથા જુદા જુદા જરૂરિયાત પડતાં સાધન સામગ્રીનો સમાવેશ થાય છે. જે વાત કરી તે પ્રમાણે કોઈપણ જગ્યાએ ચૂક થાય તો, મનુષ્યમાથી પક્ષીમાં પણ રોગ થઈ શકે છે તેવીજ રીતે જો સાધન સામગ્રી પણ જંતુ રહિત ના હોય તો તેના દ્વારા પણ પક્ષીઓમાં રોગચાળો ફેલાઇ શકે છે.
ઉપરોક્ત ઘટકો બાબતે આપ ટૂંકમાં સમજાવશો ?
મરઘાં પાલન