મરઘાં પાલન વ્યવસાયમાં આ બાયોસીક્યુરીટી શું છે ?
જવાબ: સાદી ભાષામાં વાત કરીયે તો બાયો એટલે "જીવ" અંને સીકયુરીટી એટલે "રક્ષણ". જ્યારે ફાર્મની અંદર એકસાથે વધારે સંખ્યામાં પક્ષીઓ રાખતા હોય ત્યારે તેમાં સૂક્ષ્મજીવો જેવાકે વીજાણુ તથા જીવાણુ દ્વારા ઘણા બઘા રોગો થવાનો ખતરો હોય છે અને આ ખતરાથી બચવા માટેના જે સંયુક્ત ઉપાયો કરવામાં આવે કે જેનાથી રોગ કરતાં સુક્ષ્મ્જીવો ફાર્મની અંદર પ્રવેશે નહીં અથવા તો ફેલાય નહીં તેને અંગ્રેજીમાં બાયોસીક્યુરીટી કહેવામા આવે છે અને આ બાયોસીક્યુરીટી એ સૌથી સસ્તું અને રોગ અટકાવવા માટેનું ઉત્તમ પરિબળ છે અને રોગ અટકાવવાના કોઈ પણ પ્રોગ્રામ આના સીવાય કામ કરતાં નથી.
મરઘાં પાલન